કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ વડાપ્રધાનના કાર્યકાળને ભારતીય ઇતિહાસનો "સુવર્ણ યુગ" ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોદીજીનું સ્થિર, સતત અને નિર્ણાયક નેતૃત્વ દેશને વિકાસના નવા શિખરો તરફ લઈ ગયું છે.તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્થતંત્ર, ટેકનોલોજી, ગરીબ કલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ કરોડો લોકો સુધી પહોંચ્યો છે.આ પ્રસંગે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે એક મજબૂત અને વિશ્વસનીય રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની આ યાત્રા આગામી સમયમાં પણ યથાવત રહેશે.